નિર્ભયા ગેંગરેપ કેસમાં દોષિત વિનય શર્માએ મોડી રાત્રે તિહાડ જેલમાં આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેને દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
તિહાડની જેલ નંબર-8માં છે બંધ
- પ્રાપ્ત વિગતો અનુસાર તેણે પહેલા થોડી દવાઓ લીધી હતી અને પછી ટુવાલ ગળામાં બાંધીને ફાંસી લગાવવાનો પ્રયાસ કર્યો હતો.
- વિનય શર્મા તિહાડની જેલ નંબર-8માં બંધ છે.
- ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે વિનયે જેલમાં અન્ય કેદીઓ દ્વારા ફટકારવાનો આરોપ લગાવતા સુરક્ષા વધારવામાં આવી હતી.
- વિનય શર્મા તિહાડની જેલ નંબર-8માં બંધ છે.
- ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે વિનયે જેલમાં અન્ય કેદીઓ દ્વારા ફટકારવાનો આરોપ લગાવતા સુરક્ષા વધારવામાં આવી હતી.
કેસનો અન્ય એક આરોપી કરી ચૂક્યો છે આપઘાત
- 16 ડિસેમ્બર, 2012માં થયેલા નિર્ભયા સામુહિક બળાત્કાર તથા હત્યા મામલે અદાલતે 6 લોકોને દોષિત ઠેરવ્યા હતા.
- આ આરોપીઓમાં એક સગીર પણ સામેલ છે.
- માર્ચ, 2013માં આ કેસના એક આરોપી રામ સિંહે તિહાડ જેલમાં જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
- માર્ચ, 2013માં આ કેસના એક આરોપી રામ સિંહે તિહાડ જેલમાં જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
- રામ સિંહ ઘટના વખતે બસ ચલાવી રહ્યો હતો.
No comments:
Post a Comment